Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

કેન્સર સારવારથી થતી આડઅસરો નિવારી શકાશેઃ મોઢા ઉપર, ગળામાં, તથા પાંચનતંત્ર ઉપર થતી વિપરિત અસરો નિવારવા ઇન્ડિયન અમેરિકન ડો.પ્રવિણ અર્નીના નેતૃત્વ હેઠળની ટીમ કાર્યરત

ન્યુયોર્કઃ યુ.એસ.ની બફેલો યુનિવર્સિટીના ઇન્ડિયન અમેરિકન ડો.પ્રવિણ અર્નીના નેતૃત્વ હેઠળ પાંચ સંશોધકોની ટીમએ મ્યુકોસિસ્ટ કેન્સરની આડઅસરો સામે પ્રતિકાર કરતી તથા વધુ સચોટ સારવાર આપતી પધ્ધતિ વિકસાવી છે. જેનું સંશોધન આગળ ધપાવવા માટે ૧.૫ મિલીઅન ડોલરની ગ્રાન્ટ મંજુર કરાઇ છે.

રોઝવેલ પાર્ક કોમ્પ્રીહેન્સીવ સેન્ટર ન્યુયોર્કના સહયોગ સાથે આગળ વધારવામાં આવનાર આ સંશોધન અંતર્ગત મ્યુકોસિસ્ટ કેન્સરથી મોઢા ઉપર તથા ગળામાંં તેમજ પાંચનતંત્ર ઉપર થતી આડ અસરો નિવારી શકાશે.

 

(8:03 pm IST)