Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

''સેલ્ફ રિઅલાઇઝેશન સેમીનાર'': યુ.એસ.માં સનાતન ધર્મ મંદિર નોર્વાક મુકામે ૨૭ તથા ૨૮ જુલાઇ ૨૦૧૯ દરમિયાન યોજાઇ ગયેલો સેમીનારઃ દાદા ભગવાન ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલા બેદિવસિય સેમીનારમાં પૂજય દિપકભાઇ દેસાઇએ મોક્ષ તથા કર્મના ફળો વિષે માર્ગદર્શન આપ્યું: ૧૫૦૦ ઉપરાંત લોકો 'જ્ઞાનવિધિ'માં જોડાયા

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં દાદા ભગવાન ફાઉન્ડેશનના ઉપક્રમે ૨૭ તથા ૨૮ જુલાઇ ૨૦૧૯ દરમિયાન બેદિવસિય ''સેલ્ફ રિઅલાઇઝેશન સેમિનાર યોજાઇ ગયો.

સનાતન ધર્મ ટેમ્પલ નોર્વાક મુકામે યોજાયેલા આ સેમિનારનું નેતૃત્વ આત્મયોગી શ્રી પૂજ્ય દિપકભાઇ દેસાઇએ સંભાળ્યુ હતું જે દરમિયાન પ્રશ્નોતરીનો કાર્યક્રમ યોજાયો હતો.

સેમિનાર અંતર્ગ તેમણે મોક્ષ પ્રાપ્તિ વિષયક જાણકારી આપી હતી તથા તેમના આપ્તપુત્ર શ્રી ડીમ્પલભાઇએ કર્મના ફળ વિષે જાણકારી આપી હતી.

સેમિનારમાં ૧૫૦ ઉપરાંત લોકો જોડાયા હતા. તથા સેલ્ફ રિઅલાઇઝેશન (આત્મસાન) માટેની જ્ઞાનવિધિ'માં જોડાયા હતા.

વિશેષ માહિત www.dadabhagwan.org દ્વારા મળી શકશે તેવું જાણવા મળે છે.

(7:40 pm IST)