Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ભારતના બિહાર તથા આસામના પૂર પીડિતો માટે ડોનેશન આપોઃ વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાની કોમ્યુનીટી મેમ્બર્સને હાકલ

મેસ્સેચ્યુએટસઃ ભારતના બિહાર તથા આસામમાં મેઘતાંડવ તથા પૂર હોનારતથી થયેલ માલ તથા જાન હાનિમાં મદદરૂપ થવા વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (VHPA) એ હાકલ કરી છે.

એક અંદાજ મુજબ આ પૂર હોનારા તથા ભારે વરસાદના કારણે ૧૫૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તથા દોઢ કરોડ જેટલા લોકો બેઘર બન્યા છે.

વતન સ્થિત આ બાંધવોને આશ્રય, ખોરાક, તથા આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા VHPAએ કોમ્યુનીટી મેમ્બર્સને અપીલ કરી ડોનેશન આપવા અનુરોધ કર્યો છે. જે અંગે વિશેષ માહિતિ માટે કોન્ટેક નં.(૭૩૨)૭૪૪-૦૮૫૧ દ્વારા અથવા ઇમેલ OFFice@vhp -america.org દ્વારા અથવા www.vhp.america.ંશ્વિં દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(9:14 pm IST)