Gujarati News

Gujarati News

News of Saturday, 3rd October 2020

પોતાની શ્રધ્ધાંજલિ જાતે લખીને ગયા હતા : ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના પારદર્શી લેખક શ્રી નવીન બેંકર સપ્ટે. ૨૦ ની રાત્રે ફાની દૂનિયા છોડી ગયા : તેમની શ્રદ્ધાંજલિ ઝૂમ પર સ્મરણાંજલિરૂપે પ્રસ્તૂત કરવામાં આવી

હ્યુસ્ટન : ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના પારદર્શી લેખક શ્રી નવીન બેંકર. તેઓ પોતાની શ્રધ્ધાંજલિ જાતે લખીને ગયા હતા, સૌને અલવિદા કરીને સપ્ટે. ૨૦ ની રાત્રે ફાની દૂનિયા છોડી ગયા હતા. તેમની શ્રધ્ધાંજલિ ૨૭મી સપ્ટેંના રોજ ઝૂમ પર સ્મરણાંજલિરૂપે પ્રસ્તૂત કરવામાં આવી હતી. લગભગ ૨૫ થી ૩૦ જેટલા વક્તાઓએ  નવીનભાઈના કુટુંબીજનો સમક્ષ ભાવભેર સ્મરણો રજૂ કર્યા હતા. પરિવારજનોએ પણ પોતાની લાગણી દર્શાવી હતી.

 હ્યુસ્ટનની મોટાભાગની સંસ્થાઓમાં વર્ષોથી નિસ્વાર્થભાવે સેવા આપનાર આ ઉમદા અને ખેલદિલ માનવી તથા સાચાબોલા સર્જકની સ્મૃતિમાં સાહિત્ય સરિતાએ વૃક્ષારોપણનું અનુદાન કર્યું છે.
અસ્તુ.

શૈલા મુનશા
પ્રમુખ, ગુજ.સાહિત્ય સરિતા
તેવું સુશ્રી દેવિકા ધ્રુવની યાદી દ્વારા જાણવા મળે છે.

(7:44 pm IST)