Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટનમાં બોર્ડ ઓફ ટ્રસ્‍ટી મંડળના ચેરમેન તરીકે અતુલ શાહ તેમજ વાઇસ ચેરમેન તરીકે હિતેશ રમણલાલ શાહ રાંદેરવાલની બીન હરીફ તરીકે વરણી થતાં સમગ્ર જૈન સંધના સભ્‍યોમાં પ્રસરી રહેલી આનંદની લાગણીઓ : આવતા જૂન માસમાં જૈન સોસાયટીના જીનાલયને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેના સીલ્‍વર જયુબીલી વર્ષની રંગેચંગે થનારી શાનદાર ઉજવણી : સાત દિવસોના ભરચક કાર્યક્રમ યોજવામાં આવનાર છે અને ભારતના સુપ્રસિધ્‍ધ સંતો તેમજ ધર્મના આગેવાનો શિકાગો પધારશે : સમગ્ર જૈન સંધમાં પ્રસરી રહેલું આનંદનું વાતાવરણ

(સુરેશ શાહ દ્વારા) શિકાગો : જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના બોર્ડ ઓફ ટ્રસ્‍ટી મંડળના ચેરમેન તથા વાઇસ ચેરમેનની મુદત ગયા વર્ષના અંતમાં પૂર્ણ થતી હોવાથી નવા ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી કરવા માટે બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઓની એક મીટીંગ જાન્‍યુઆરી માસની ૧લી તારીખને સોમવારે બપોરે ૩ વાગે જૈન સોસાયટીના કોમ્‍પ્‍લેક્ષમાં યોજવામાં આવી હતી. જેમાં ટ્રસ્‍ટી બોર્ડના સાત સભ્‍યો તથા શુભેચ્‍છકોએ હાજરી આપી હતી.

બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઓની મીટીંગ જૈન સેન્‍ટરમાં બરાબર બપોરે ત્રણ વાગે શરૂ થઇ હતી અને પ્રાથમીક ચર્ચાના અંતે નવા વાઇસ ચેરમેન તરીકે હિતેશ રમણલાલ શાહ રાંદેરવાલાના નામની રજુઆત બોર્ડ મેમ્‍બર જીજ્ઞેશ જૈને રજુ કરી હતી અને તેમની સામે બીજા કોઇ બોર્ડ મેમ્‍બરનું નામ ન આવતા તેઓ વાઇસ ચેરમેન તરીકે બીન હરીફ ચુંટાયેલા જાહેર થયા હતા. ત્‍યારબાદ ચેરમેન તરીકે અતુલ શાહના નામની દરખાસ્‍ત બોર્ડ મેમ્‍બર હિમાંશુ જૈન રજુ કરતા બીજા કોઇ પ્રતિસ્‍પર્ધી મેદાનમાં ન આવતા તેઓ વિના વિરોધે ચેરમેન તરીકે ચુંટાયેલા જાહેર થયા હતા.

ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણીની વિધી પત્‍યા બાદ હાજર રહેલા બોર્ડના તમામ મેમ્‍બર્સ તથા શુભેચ્‍છકોએ નવા વરાયેલા હોદેદારોને અભિનંદન અને શુભ કામના પાઠવી હતી. આ પ્રસંગે બંન્‍ને ચુંટાયેલા પદાધિકારીઓએ જરૂરી સહકારની માંગણી કરી હતી અને સૌએ તે આપવાની ખાત્રી આપી હતી.

આવતા જૂન માસમાં જૈન સોસાયટીના જીનાલયને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેના સીલ્‍વર જયુબી વર્ષની રંગેચંગે ઉજવણી થનાર છે અને તે પ્રસંગે સાત દિવસો ભવ્‍ય  કાર્યક્રમ યોજવામાં આવનાર છે અને તે અંગે ભીન્‍ન ભીન્‍ન પ્રકારની કમીટીઓની રચના કરવામાં આવનાર છે. કાર્યવાહક સમિતિના તમામ સભ્‍યોએ આ અંગેની જરૂરી તૈયારીઓ શરૂ કર્યાના અણસાર પ્રાપ્‍ત થયેલ છે. જૈન સંધમાં આનંદનું વાતાવરણ સર્જાયેલું જોવા મળેશે. જૈન સોસાયટી શિકાગોના બોર્ડ  ઓફ ટ્રસ્‍ટી બોર્ડના ચેરમેન તરીકે અનુલ શાહ તેમજ વાઇસ ચેરમેન તરીકે હિતેશ રમણલાલ શાહ રાંદેરવાલા બીન હરીફ ચુંટાયેલા જાહેર થયા બાદ તે સમાચારો જૈન સંધના સભ્‍યોમાં પ્રસરી જતા મોટા ભાગના સભ્‍યો આ બંન્‍ને મહાનુભાવો પર હેતની હેલી વરસાવી રહયા છે અને સંધના તમામ કાર્યક્રમોમાં જરૂરી સહકાર આપવાની ખાત્રી આપેલ છે.

(9:47 pm IST)