Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

" રથયાત્રા મહોત્સવ " : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ USA ન્યૂજર્સીના ઉપક્રમે આગામી 7 જુલાઈ 2019 રવિવારના રોજ ઉજ્વાનારો ઉત્સવ : શણગારેલા રથમાં ભગવાન જગન્નાથજી ,બલભદ્રજી , તથા સુભદ્રાજીનાં રથને ખેંચવાનો લહાવો

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી :  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ USA ,205 ,સ્પ્રીંગવેલી રોડ ,પરામસ ,ન્યૂજર્સીના ઉપક્રમે આગામી 7 જુલાઈ 2019 રવિવારના રોજ રથયાત્રા મહોત્સવ ઉજવાશે જેનો સમય બપોરે 4-30 થી સાંજે 7-30 વાગ્યા સુધીનો રહેશે જેમાં ગુરુમહારાજના આશીર્વાદ સાથે શાસ્ત્રીશ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ,તથા પૂજ્યશ્રી ધ્યેયસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં  ભગવાન જગન્નાથજી ,બલભદ્રજી ,તથા સુભદ્રાજી ના શણગારેલા રથને ખેંચવાનો લહાવો મળશે

ગુરુકુળ મુકામે યોજાનારી રથયાત્રા અંતર્ગત બપોરે 4-45 કલાકે કીર્તન ભક્તિ ,સાંજે 5-30 કલાકે સત્સંગ ,સાંજે 6 વાગ્યે રથયાત્રા ,7 વાગ્યે પૂજન થાળ ,તથા સાંજે 7-30 કલાકે આરતી પ્રાર્થના બાદ રાત્રે 8 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.તમામ ભાવિકોને આ મહોત્સવનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.તેવું ગુરુકુળની યાદીમાં જણાવાયું છે.

(12:06 pm IST)