Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

પાકિસ્તાનમાં 2 સગીર હિન્દુ યુવતીઓના અપહરણ કરી ફરજીયાત ધર્માંતર કરાવનાર બંને નાપાક શખ્શો ત્રણ ત્રણ સંતાનોના બાપ : બંનેને પત્નીઓએ ત્યજી દેતા ન ઘરના રહ્યા ન ઘાટના

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં 2 સગીર હિન્દુ યુવતીઓના અપહરણ કરી ફરજીયાત ધર્માંતર કરાવનાર બંને નાપાક શખ્શો ત્રણ ત્રણ સંતાનોના બાપ હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.એટલું નહિ તેમના કૃત્યોથી બંનેને તેમની પત્નીઓએ ત્યજી દીધા છે.પરિણામે તેમના માટે ઘરના રહ્યા ઘાટના જેવો ઘાટ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે બંને હિન્દૂ સગીર યુવતીઓના અપહરણ મુદ્દે ભારતમાં ભારે ઉહાપોહ થતા પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને તપાસના આદેશો આપ્યા હતા જેમાં ઉપરોક્ત પોલ ખુલવા પામી હતી

અપહરણના આરોપીઓ તરીકે સફદર  ખોબર તથા બરકત મલિક હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:37 am IST)