Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

શીખ વિરોધી રમખાણ કેસના દોષિત સજ્જનકુમારનું કોર્ટને આત્મસમર્પણ

નવી દિલ્હી :શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત જાહેર થયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમારે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યુ છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા સજ્જનકુમારને હત્યા. વૈમનસ્ય ફેલાવવા તેમજ આગજની અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાના ષડયંત્રમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

  સજ્જનકુમારને 31 ડિસેમ્બર સુધીમાં સરન્ડર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સજ્જનકુમારે કોર્ટ સમક્ષ હાજર થવા માટે મુદ્દત માંગી હતી. પરંતુ કોર્ટે મુદ્દત આપવાનો ઇન્કાર કર્યો હતો.

(1:01 pm IST)