Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

તામિલનાડુમાં અનેક સ્થળોએ એનઆઈએના દરોડા :આતંકી જૂથ સાથે સબંધ મામલે શંકાસ્પદ લોકોના ઘરોમાં તપાસ

પૂછપરછ માટે મોહમ્મદ અજમલ નામના વ્યક્તિની અટકાયત

 

ઇસ્લામિક સ્ટેટ પ્રભાવિત આતંકવાદી જૂથની તપાસના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ગુરુવારે તામિલનાડુના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. આતંકી જૂથ પર આશંકા છે કે, તેની ભારતમાં ઇસ્લામિક કાયદો લાગુ કરવાના આશયથી હુમલો કરવાની યોજના છે.

પ્રારંભિક માહિતી મુજબ, એનઆઈએ દરોડા આજે સવારે કોઈમ્બતુર જિલ્લાના બે પાયા, નાગાપટ્ટિનમ જિલ્લાના નાગોર, થુથુકુંડી જિલ્લાના કૈલાપટ્ટિનમ અને શિવગંગા જિલ્લાના ઇલાયાનકુંડ પર પાડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

કાર્યવાહી તમિલનાડુના ધરપકડ કરાયેલા કેટલાક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન 'અંસારુલ્લાહ' સાથે જોડાયેલા લોકો સાથે સંબંધ હોવાના શંકાસ્પદ લોકોના ઘરોમાં કરવામાં આવી હતી. એનઆઇએએ નાગૌરમાં દરોડો પાડ્યા બાદ પૂછપરછ માટે મોહમ્મદ અજમલ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. અંતિમ માહિતી આવે ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતું.

(12:33 am IST)