Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ભાગેડુ ધર્મગુરૂ જાકીર નાઇકને ભંડોળ અપાવવા મહેનત કરી રહ્યું છે પાક.

નવી દિલ્હી : દેશમાં ગુપ્તચર એજન્સી અને સુરક્ષા દળોની ચોકસાઇના કારણે પાકિસ્તાનના મનસુબા સફળ થઇ રહ્યા નથી. તેમ છતાં પણ પાકિસ્તાન સતત નાપાક હરકતો કરી રહ્યું છે. હવે તેણે ભારતમાં પોતાની આતંકી પ્રવૃત્તિ આગળ વધારવા માટે એક નવો રસ્તો અખત્યાર કર્યો છે. પાકિસ્તાનને પોતાને બે ટંકના ભોજનના સાંસા છે પણ ભારતના ભાગેડુ ઇસ્લામી ધર્મગુરુ જાકિર નાઇકને ઇસ્લામી દેશમાંથી ભંડોળ એકત્રિત કરવામાં મદદ કરી રહ્યું છે. વર્તમાન સમયમાં જાકિર નાઇક ભારતથી ભાગીને મલેશિયામાં રહે છે ત્યાં પણ કટ્ટરપંથી ગતિવિધિમાં કોઇ કમી આવી નથી અને પુરી દુનિયામાંથી ભંડોળ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કામમાં પાકિસ્તાન જાકીર નાઇકનો પુરતો સહયોગ કરી રહ્યું છે.

(12:26 pm IST)