Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

જમ્‍મુ કાશ્‍મીર : કુલગામ પોલીસ સ્‍ટેશન પર ગ્રેનેડ હુમલો, ત્રણ નાગરિકો ઘાયલ

સેનાએ જવાબી કાર્યવાહી કરતા આતંકીઓ ભાગી ગયા

શ્રીનગર તા. ૩૧ : જમ્‍મુ કાશ્‍મીરના કુલગામમાં આતંકીઓ ઘ્‍વારા કુલગામ પોલીસ સ્‍ટેશન પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્‍યો છે. આતંકીઓ ઘ્‍વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડની ઝપટમાં આવવાને કારણે ત્‍યાંથી પસાર થઇ રહેલા ત્રણ નાગરિકો પણ ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હોસ્‍પિટલ લઇ જવામાં આવ્‍યા છે.

આતંકીઓના ગ્રેનેડ હુમલા પછી સુરક્ષા જવાનોએ મોરચો સાંભળતા જવાબી કાર્યવાહી કરી ત્‍યારે આતંકીઓ ભાગી નીકળ્‍યા. પોલીસ સ્‍ટેશનની આસપાસના વિસ્‍તારોમાં સુરક્ષાબળો ઘ્‍વારા તલાશી અભિયાન શરૂ કરી દેવામાં આવ્‍યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રજાસતાક દિવસે પણ આતંકીઓએ શ્રીનગરના કમોહમાં હુમલાની કોશિશ કરી હતી પરંતુ સુરક્ષાબળોએ તેને નિષ્‍ફળ બનાવતા બે આતંકીઓને ઠાર માર્યા. ૨૬ જાન્‍યુઆરીએ સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્‍ચે શ્રીનગર જિલ્લાના કમોહમાં એન્‍કાઉન્‍ટર ચાલ્‍યું હતું.

(12:56 pm IST)