Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કોરોના વેકસીન માટે કેન્દ્ર સરકાર પાસે ૮૦ હજાર કરોડ છે ખરા?

કોરોના વેકસીન માટે આવતા એક વર્ષમાં ખર્ર્ચ કરવા માટે ૮૦ હજાર કરોડ રૂપિયા શું મોદી સરકાર પાસે છે? સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના વડા અદાર પુનાવાલાના આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય સચિવ રાજેશ ભુષણે કહ્યુ છે કે રસીકરણ માટે ૫ બેઠકો થઈ ચૂકી છે તેના માટે ચર્ચાઓ થઈ ગઈ છે અને યોગ્ય સમયે કેટલીક રકમ જોશે તે સહિતની વિગતો સામે આવી જશે : તેમણે કહ્યુ કે જે વ્યકિતએ વેકસીનેશન માટે બજેટને લઈને ટ્વીટ કર્ર્યુ હતું તે જ વ્યકિતએ (અદાર પુનાવાલા)એ પાછળથી ટ્વીટ કરીને કહ્યુ છે કે તેમને સરકારના પ્લાનીંગ ઉપર પુરો ભરોસો છે.

(11:23 am IST)