Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કેરળમાં કોરોનાનો કહેર યથાવત : દેશમાં નવા 43.334 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 34.716 દર્દીઓ રિકવર થયા : વધુ 516 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.38.376 થયો :એક્ટીવ કેસ 3.70.524 થયા : કુલ કેસની સંખ્યા 3.27.37.536 થઇ

સૌથી વધુ કેરળમાં 29.836 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4666 કેસ, તામિલનાડુમાં 1538 કેસ, આંધ્રપ્રદેશમાં 1557 કેસ, કર્ણાટકમાં 1262 કેસ, ઓરિસ્સામાં 849 કેસ, મિઝોરમમાં 878 કેસ, પશ્ચિમ બંગાળમાં 650 કેસ, મણીપુરમાં 387 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 43.334 કેસ નોંધાયા છે. જ્યારે 34.716 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 43.334 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 516 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.38.376 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 43.334 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.27.37.536 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.70.524 થઇ છે છેલ્લા 24 કલાકમાં 34,716 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.19.15.850 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી વધુ કેરળમાં 29.836 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4666 કેસ, તામિલનાડુમાં 1538 કેસ, આંધ્રપ્રદેશમાં 1557 કેસ, કર્ણાટકમાં 1262 કેસ, ઓરિસ્સામાં 849 કેસ, મિઝોરમમાં 878 કેસ, પશ્ચિમ બંગાળમાં 650 કેસ, મણીપુરમાં 387 કેસ નોંધાયા છે

(12:03 am IST)