Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ઘણા લોકોના કતારોમાં ઉભા - ઉભા મોત નિપજ્યા આ મોટો અપરાધ છે :નોટબંધી પરના રિપોર્ટની સંસદમાં ચર્ચા કારા શિવસેનાની માંગ

મુંબઈ :નોટબંધી પર જાહેર થયેલા આરબીઆઇના અહેવાલ પર શિવસેનાએ આકરી પ્રતિક્રિયા આપી કેન્દ્ર સરકારને નિશાને લીધી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યુ છે કે રિપોર્ટ ચોંકાવનારો છે.ઘણાં લોકોના કતારોમાં ઉભા – ઉભા મોત નીપજ્યા હતા. આ મોટો અપરાધ છે. શિવસેનાએ આરબીઆઈના નોટબંધી પરના રિપોર્ટ પર સંસદમાં ચર્ચા કરાવવાની માગણી કરી છે.

 શિવસેનાના નેતા સંજય રાઉતે નોટબંધી પર આરબીઆઈના અહેવાલને ચોંકાવનારો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે નોટબંધી દરમિયાન 99.3 ટકા ગેરમાન્ય ઠરેલી નોટ બેંક પાસે પાછી આવી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

(7:17 pm IST)