Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જનતંત્રનો અવાજ દબાવાશે તો વિસ્ફોટ થશે : હાર્દિક પટેલનું ટ્વીટ

અમદાવાદ : હાર્દિક પટેલના આમણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે  ત્યારે અત્યારસુધી અન્નનો ત્યાગ કરીને માત્ર લિકવીડ પર ઉપવાસ કરી રહેલા હાર્દિકે આજથી જળનો પણ ત્યાગ કર્યો છે. ઉપવાસની વચ્ચે અાજે હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે,’સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું છે કે, જનતંત્રમાં જનતાનો અવાજ દબાવી શકાય નહીં, જો તેનો અવાજ દબાવવામાં આવે તો મોટો વિસ્ફોટ થશે!! ગુજરાતમાં જે રીતે અવાજ દબાવવામાં આવી રહ્યો છે, હું દાવા સાથે કહું છું, સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે. સત્તા સામે જનતાનો વિસ્ફોટ થશે. ‘

(1:16 pm IST)