Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

રાજસ્થાનના પૂર્વ ભાજપ અધ્યક્ષ ભંવરલાલ શર્માનું 95 વર્ષની વયે નિધન

ગુહમંત્રી અમિતભાઇ શાહ અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી

 

નવી દિલ્હી : રાજસ્થાન ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભંવરલાલ શર્માનું નિધન થયું છે ભંવરલાલ 95 વર્ષનાં હતા. વરિષ્ઠ નેતાનાં નિધનને પગલે તમામ ભાજપ નેતાઓ સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તેમના નિધન બાદ ગૃહમંત્રી અમિત ભાઈ શાહે પણ દુખ વ્યક્ત કર્યું છે. શર્માનાં નિધન અંગે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ દુખ પ્રકટ કર્યું છે.

 

અમિતભાઈ  શાહે પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને ભાજપ રાજસ્થાનના પૂર્વ અધ્યક્ષ ભંવરલાલ શર્માનાં નિધનની માહિતી મળી તે ખુબ દુખદ છે. જનસંઘથી માંડીને ભાજપ સુધી સંગઠન તથા જનસેવા માટે તેમનો સંઘર્ષ દરેક કાર્યકર્તા માટે પ્રેરણાદાયક છે. હું તેમનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. શાંતિ શાંતિ

(12:23 am IST)