Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

અમરનાથ યાત્રામાં લંગર સંસ્‍થાઓને હજી સુધી પરવાનગી ન અપાતા પરેશાની : સંગઠને લખ્‍યો પત્ર

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુઃ પવિત્ર અમરનાથ યાત્રાનો ર૯ જુનથી શુભારંભ થઇ રહયો છે. ત્‍યારે લંગર લગાવનાર સંસ્‍થાને હજી સુધી પરવાનગી ન મળતા પરેશાની થઇ છે. એસએબીએલઓ દ્વારા આ અંગે ચિંતા વ્‍યકત કરી છે. તેમણે શ્રાઇન બોર્ડમાં લખેલ પત્રમાં જણાવાયું છે કે અનુભવી લંગર સંગઠનોને સામાન્‍ય કારણથી પરવાનગી નથી આપવામાં આવી.

લંગર સંગઠને જણાવેલ કે નાની-મોટી ખામીઓ અજાણતા રહી જાય છે. પણ તિર્થયાત્રીઓની સેવા કરવા માટે સંગઠનની અતુટ પ્રતિબધ્‍ધતા પર અસર ન નાખવી જોઇએ. પત્રમાં ભંડારા સંગઠનોના હિતને પ્રાથમીકતા આપવા અને ૨૦૨૪  શ્રી અમરનાથ યાત્રા માટે પ્રસ્‍તાવ પત્ર જાહેર કરવામાં ત્‍વરીતતા લાવવા પણ અપીલ કરવામાં આવી છે.

(1:06 pm IST)