Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

વલ્લભીપુરના મેવાસા પાસે ટ્રક પલ્ટી જતા ૬ મજુરના મોત

કડબ ભરીને જઇ રહેલા ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો : ૭ મજુરોને નાની-મોટી ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૩૦: ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે આજે સર્જાયેલ અકસ્માતમાં ઍક સાથે ૬ મજુરોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રા માહીતી મુજબ ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ પાસેથી કડબ ભરીને જઇ રહેલા ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઇ ગયો હતો.

આ અકસ્માતમાં ટ્રકમાં  બેઠેલા ૬ મજુરોના ટ્રકની નીચે દબાઇ જવાથી મોત થયા છે. જયારે ૭ મજુરોને નાની-મોટી ઇજા થતા તાબડતોબ ભાવનગર તથા વલ્લભીપુરની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતા વલ્લભીપુર પોલીસ સ્ટેશનના અધિકારીઅો તથા ૧૦૮ ઍમબ્યુલન્સ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે તથા મૃતકોના મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરી છે. ઍક સાથે ૬ મજુરોના મોતથી ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. (૪.૧૮)

(3:05 pm IST)