Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

યોગી સરકારની રામભક્તોને ખાસ ભેટ: હેલિકોપ્ટરથી આખી અયોધ્યા જોઈ શકશે

આ સેવા કાલે રામ નવમીના શુભ અવસરે શરૂ થશે અને આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે

લખનૌ:આ વખતે રામ નવમી પર યુપીના અયોધ્યામાં પર્યટન વિભાગ દ્વારા રામ ભક્તોને એક ખાસ ભેટ આપવામાં આવી રહી છે. આ વખતે રામ ભક્તો હેલિકોપ્ટર દ્વારા સમગ્ર અયોધ્યાના દર્શન કરી શકશે. ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ અને હેરિટેજ એવિએશન દ્વારા અયોધ્યામાં મુલાકાતીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા રામ નવમીના શુભ અવસર પર 29 માર્ચથી શરૂ થશે અને આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે. આ હેલિકોપ્ટરમાં એક સાથે 7 મુલાકાતીઓ અયોધ્યાની મુલાકાત લઈ શકશે. દરેક મુલાકાતી માટે એક વખતનું ભાડું 3000 રૂપિયા હશે.

(10:45 pm IST)