Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ત્રિપુરાના મુખ્યમંત્રી પાસે માત્ર 2930 રૂપિયા ;ક્યારેય આવકવેરા રિટર્ન નથી ભર્યું

 

સતત પાંચમી વાર સતાના સૂત્રો સાંભળનારા ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર પાસે માત્ર 3030 રૂપિયા છે તેઓએ આજ સુધી ક્યારેય આવકવેરા રિટર્ન ભર્યું નથી મુખ્યમંત્રી તરફથી નામાંકન સાથે અપાયેલ ચૂંટણી સોગંદનામામાં જાણકારી મળી છે

   ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર પોતાની સાદગી માટે જાણીતા છે વામનેતા પોતાનો પૂરો પગાર સીપીએમને દાન આપે છે અને તેઓને પાર્ટી તરફથી જીવિકા ભથ્થાના રૂપે 5000 મળે છે

   સોગંદનામામાં જણાવાયુ છે કે 69 વર્ષના નેતાના પાસે 1520 રૂપિયા છે જયારે 2410 રૂપિયા તેના બેન્ક ખાતામાં છે સિવાય બીજી કોઈ રકમ બેંકમાં જમા નથી

(11:03 pm IST)