Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

આરજેડીના મહાસચિવપદેથી અશોક સિંહાનું રાજીનામુ

તેજસ્વી યાદવથી નારાજ અશોક સિંહાએ હાલના સમયમાં આરજેડી અપ્રાસંગિક હોવાનુ જણાવ્યુ : સમય બરબાદ કરવાના સ્થાને પાર્ટી છોડી દીધી

પટણા ;આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ જેલમાં ગયા બાદ પાર્ટી નેતૃત્વ સંકટનો સામનો કરી રહેલ છે ત્યારે આરજેડીને મોટો આંચકો લાગ્યો છે.અશોક સિંહાએ આરજેડીના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધુ છે. અશોક સિંહા લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવથી નારાજ હતા. અશોક સિંહાએ હાલના સમયમાં આરજેડી અપ્રાસંગિક હોવાનુ જણાવીને સમય બરબાદ કરવાના સ્થાને પાર્ટી છોડી દીધી છે

(10:55 pm IST)