Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અભિનેત્રી જિયાખાનના આપઘાત કેસમાં સુરજ પંચોલી વિરુદ્ધ આરોપ ઘડાયા:આવતા મહિને સુનાવણી

કેસના ચક્કરમાં કિંમતી સમય બરબાદ થયો તેના વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી ;સૂરજના વકીલનો બચાવ

 

મુંબઈ :અભિનેત્રી જીયા ખાન આપઘાત કેસમાં સૂરજ પંચોલી વિરુદ્ધ મુંબઈ સેશન કોર્ટે આરોપો ઘડ્યા છે. કોર્ટે સૂરજ પંચોલી વિરુદ્ધ જિયા ખાનને ઉશ્કેરવા અને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો આરોપ ઘડ્યો છે. કેસની આવતા મહીને વધુ સુનાવણી થશે.

    સુનાવણી દરમિયાન સૂરજ પંચોલીના વકીલે બચાવમાં દલીલ કરી હતી કે કેસના ચક્કરમાં તેમના જીવનો કિંમતી સમય બરબાદ થઈ ચૂક્યો છે તેમના વિરુદ્ધ કોઈ નક્કર પૂરાવા નથી. સીબીઆઈની વિશેષ કોર્ટે સૂરજને રાહત આપીને તેમના પર તપાસ રોકવાના આદેશ આપ્યા હતા. પરંતુ તપાસના કેટલા દિવસો બાદ જીયાની સુસાઈડ નોટ મળી હતી તેમાં સૂરજ પંચોલી પર આક્ષેપો કર્યા હતા. જે બાદ 10 જૂન 2013ના રોજ સૂરજ પંચોલીની ધરપકડ કરાઈ હતી

(10:56 pm IST)