Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

AAPના ગેરલાયક ઠરેલ ૨૦ ધારાસભ્યો મામલે હાઇકોર્ટે ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ : ૪ દિવસમાં જવાબ રજુ કરવા આપ્યો આદેશ

નવી દિલ્હી : 'લાભના પદ' મામલે ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. આ મામલે દિલ્હી હાઇકોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે. ચૂંટણી પંચને 4 દિવસમાં આ મામલે સોગંદનામું જાહેર કરવા આદેશ આપ્યો છે. ઉપરાંત કહ્યું કે આ સોગંદનામામાં 20 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા પાછળનાં નિર્ણયના તથ્યોનો ઉલ્લેખ હોવો જોઇએં.

(2:58 pm IST)