Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

પશ્ચિમ બંગાળઃ મુર્શિદાબાદના બાલીઘાટ પુલ પરથી બસ નહેરમાં ખાબકી, ૩૬ લોકોના મોત

કોલકતા તા. ૩૦ : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક બસ બેકાબૂ થઇને નહેરમાં પડી હતી. જેમાં ૩૬ લોકોના મોત થયા છે. એનડીઆરએફ દ્વારા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું છે.

આ ઘટના બાલિઘાટ પૂલને પાર કરતી વખતે બની હતી જેમાં તેમાં ૨૪ લોકોનાં મોત થયા છે. બસમાં કુલ ૫૦ લોકો સવાર હતા. એનડીઆરએફની ટીમ રેસ્કયૂ ઓપરેશન ચલાવી રહી છે. ઘાયલ પેસેન્જર્સને મુર્શિદાબાદ મેડીકલ કોલેજ-હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બસ નાદિયા જિલ્લાના શિકારપુરથી માલદા જઇ રહી હતી. તે દરમિયાન ડ્રાઇવરે કંટ્રોલ ગૂમાવતા બસ પૂલની રેલિંગ તોડીને નહેરમાં પડી ગઇ. આ ઘટના સોમવારે સવારે ૬ વાગ્યે બની હતી. સ્થાનિક લોકોનો આરોપ લગાવ્યો છે કે, ઘટના બાદ પોલીસ સમય પર ના આવી. જેના કારણે વધુ લોકોને બચાવી ના શકાયા. ગુસ્સે થયેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન પણ કર્યુ હતું.

(11:55 am IST)