Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સરકારે ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવ્યોઃ એક જાન્યુઆરીથી લાગૂ થશે નિર્ણય

નવી દિલ્હી,તા. ૨૯: કેન્દ્ર સરકારે તમામ પ્રકારની ડુંગળીના નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આ આદેશ આગામી વર્ષે એક જાન્યુઆરીથી લાગૂ થશે. આ પહેલા સપ્ટેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારે ડુંગળીની કિંમતમાં થઈ રહેલા વધારાને જોતા નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ડાયરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) તરફથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, 'એક જાન્યુઆરી, ૨૦૨૧થી તમામ વેરાયટીની ડુંગળીની નિકાસની છૂટ આપવામાં આવી છે.'

(10:02 am IST)