Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ગાઝીપુરમાં વડાપ્રધાન મોદીની રેલી બાદ પોલીસ પર જોરદાર પથ્થરમારો : એક પોલીસકર્મી શહીદ :

આરક્ષણની માંગ સાથે લોકો ધરણા પર બેઠેલ હતા :ઉગ્ર ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રેલી બાદ ગાજીપુરમાં બબાલ થઈ હતી રેલીથી પરત ફરી રહેલ ભાજપના કાર્યકર્તાઓ સાથે ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સુભાસપાના કાર્યકર્તાઓને બબાલ થઈ હતી જેમાં પથ્થરમારાની ઘટના પણ થઇ હતી બાદમાં પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો પરંતુ બાદમાં નોનહરા પોલીસ સ્ટેશનના કઠવા મોડ પોલીસ ચોકી પાસે પોલીસકર્મીઓ પર પથ્થરમારો થયો હતો જેમાં કોન્સ્ટેબલ સુરેશ વત્સ શહીદ થયો.

  મળતી વિગત મુજબ મુજબ પીએમ મોદીની વીઆઈપી ડ્યૂટીથી પરત ફરી રહેલ પોલીસકર્મીઓ પર પથ્થરમારો થયો હતો  નિષાદ સમાજના લોકો આરક્ષણની માગણીને લઈ ધરણા પર બેઠા હતા ત્યારે ઉગ્ર થયેલી ભીડે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં કરીમુદ્દીન પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ સુરેશ વત્સનું મોત થયું. બબાલમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

(11:23 pm IST)