Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

નીરવ મોદી બ્રિટનમાં કરી રહયો છે વસવાટ : બ્રિટન સતાવાળાઓએ ભારતને આપી માહિતી

પ્રત્યાર્પણ મામલે બ્રિટન કરી રહૈ છે વિચારણા

નવી દિલ્હી :પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી બ્રિટનમાં વસવાટ કરી રહ્યો હોવાની માહિતી બ્રિટિશ સત્તાવાળાઓએ ભારતને આપી છે તેમ ભારત સરકારે જણાવ્યું હતું.

  એક પ્રશ્રના જવાબમાં વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે રાજ્યસભાને જણાવ્યું હતું ક નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ માન્ચેસ્ટરે ભારતીય એજન્સીઓને જણાવ્યું છે કે નિરવ મોદી બ્રિટનમાં વસવાટ કરી રહ્યો છે.

  વી કે સિંહે વધુમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ, ૨૦૧૮માં સીબીઆઇ અને ઇડી દ્વારા બે અરજી મોકલવામાં આવી હતી. આ અરજીમાં નિરવ મોદીના પ્રત્યાર્પણની માગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટનની સરકાર હાલમાં નિરવ મોદીના પ્રત્યાર્પણ અંગે વિચારણા કરી રહી છે.

(2:05 pm IST)