Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

યુપીના અલીગઢના ટીકાપુર ગાયોને જીવતી દાટી દેવાયાના મામલે સ્ફોટક સ્થિતિ

નહેર નજીક ગાયોના શરીરના ટુકડા અને તાજા ખોદેલા ખાડા પર માટી વાળી દેવાયાનું જોવાતા હોબાળો :મશીનો લઇને ખોદકામ કરતા કેટલીક ગાયોને જીવતી બહાર કઢાઈ

લખનૌ :ઉત્તરપ્રદેશના અલીગઢ પાસેના ટીકાપુર ગામમાં ગાયોને જીવતા દફનાવી દેવામાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. કેટલાક લોકોએ પોલીસ અને જિલ્લા વહિવટીતંત્રને ગુરુવારે જાણકારી આપી હતી કે નહેર નજીક ગાયોના શરીરના ટુકડા પડેલા છે. ઉપરાંત તાજા ખોદેલા ખાડા પર માટી વાળી દેવામાં આવી હોવાનુ દેખાય છે.

 ત્યારબાદ જિલ્લા તંત્ર અને પોલીસના અધિકારીઓ સ્થળ પર ખોદકામ માટેના મશિનો સાથે પહોંચ્યા હતા. એ પછી ખાડો ખોદીને પાંચ ગાયોકેન કાઢવામાં આવી હતી. આ પૈકીની ગાયતો જ્યારે બહાર કાઢવામાં આવી ત્યારે જીવતી હતી અને એ પછી તે મોતને ભેટી હતી.

  પાંચે ગાયોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. લોકોએ બીજે પણ ખોદવા માટે તંત્રને ફરજ પાડી હતી. જે દરમિયાન વધુ સાત ગાયાના મૃતદેહો ખોદકામમાં બહાર આવ્યા હતા. લોકોએ ગાયોને જીવતી દાટી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ ગાયોના મોત શ્વાસ રુંધાવાથી થયુ હોવાનુ બહાર આવ્યુ છે

(8:49 am IST)