Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

પોણાપાંચસો ધારાશાસ્ત્રીઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ જજ લોયાના શંકાસ્પદ મૃત્યુની તપાસ માટે માંગણી કરી

૨૦૦૫માં થયેલ બનાવટી એકાઉન્ટર કેસ જેમાં સોહરાબુદ્દીન શેખ અને એમની પત્નિની હત્યા થઇ હતી

પંજાબ અને હરીયાણા હાઇકોર્ટના ૫૦૦માંથી ૪૭૦ વકીલોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને પત્ર લખી માંગણી કરી છે. કે મુંબઇ સીબીઆઇ કોર્ટના જજ એચ.પી. લોયાની રહસ્યમય સંજોગોમાં થયેલ મૃત્યુંની તપાસ સીબીઆઇ અથવા અન્ય પંચ દ્વારા કરવામાં આવે. જજ લોયા ૨૦૦૫માં થયેલ બનાવટી એકાઉન્ટર કેસની સુનાવણી કરી રહયા  હતા. આ કેસમાં સોહરાબુદ્દીન શેખ અને એમની પત્નિની હત્યા કરાઇ હતી. આ કેસમાં ભાજપાના હાલના અધ્યક્ષ પણ એક આરોપી હતા.

(8:29 pm IST)