-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
પુત્રનો વિલાપઃ ભૂખમરાને કારણે તડફડીને મારી માતા મૃત્યુ પામી
ઝારખંડઃ ભૂખમરાને કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જયાં એક તરફ ઝારખંડમાં ૧૧ વર્ષની બાળકી સહિત ૩ લોકોનું ભૂખમરાને કારણે મોત નીપજયું, ત્યાં બીજી તરફ યુ.પી.ના બરેલી જિલ્લામાં ભૂખને કારણે એક મહિલાના મોતનો કિસ્સો સામે આવ્યો હતો. પરંતુ આ કેસ હજી શાંત થયો નથી, ત્યાં ઝારખંડના જ કોરતા ગામમાં કથિત રૂપે ભૂખમરાનેે કારણે અન્ય એક મહિલાનું મોત નીપજયું છે મૃત્યુ પામનાર મહિલાના પુત્ર ઉત્તમે જણાવ્યું કે ઘરમાં ખાવા માટે પૂરતી સામગ્રી જ નથી. ગત એક મહિનાથી ઘરમાં કંઈ પણ નથી. મમ્મીને અશકિત આવી ગઈ. હું ૨૯ નવેમ્બરે રેશનિંગની દુકાને ગયો હતો. તેમણે કહ્યું કે આજે અંગુઠો લગાવી દે, રેશનિંગ માટે ૨ ડિસેમ્બરે આવજે પરંતુ મમ્મી ૧ ડિસેમ્બરે જ ભૂમરાને કારણે તડફડીને મરી ગઈ. મીડિયાના અહેવાલ અનુસાર સ્થાનિક એન.જી.ઓ.રાઈટ ટુ ફુડ કેમ્પેઈન અનુસાર રેનશિંગના મળવાને કારણે અને ૬૦૦ રૂપિયા વિધવા પેન્શન કોઈ અન્યના ખાતામાં જમા થવાને કારણે આ મહિલાનું મૃત્યુ ભૂખમરાને કારણે થયું હોવાની વાતને પાયાવિહોણી ગણાવી રહ્યું છે અને તેમ પણ કહ્યું કે વિધવા પેન્શન તેમના દ્વારા જ સંચાલિત અન્ય ખાતામાં મોકલવામાં આવતું હતું. જેમાં હજી પણ પૈસા છે.