Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

તેજ પ્રતાપે છૂટાછેડાની અરજી પરત ખેંચી લીધી!

સુનાવણી પહેલા વકીલે કહ્યું બંને પક્ષે સમાધાન કરાવવા અને લગ્નને બચાવવાના સંપૂર્ણ પ્રયત્નો

 

પત્ની ઐશ્વર્યા વિરુધ્ધ છૂટાછેડાની અરજી દાખલ કર્યા બાદ તેજ પ્રતાપ પટના શહેરની બહાર ફરી રહ્યા હતા. લાલુ પ્રસાદ યાદવના પરિવારના લોકોએ ઘણી વખત તેજ પ્રતાપને મનાવવાના પ્રયત્નો કર્યા પણ તેઓ માન્યા નહીં. બીજી બાજુ પટનાની બહાર ફરી રહેલા તેજ પ્રતાપે તેનો સમય મથુરા અને વૃંદાવનમાં સત્સંગ અને પૂજા-પાઠમાં પસાર કર્યો. તેજ પ્રતાપ છૂટાછેડાની સુનાવણી માટે પટના પહોંચ્યા હતા

  મીડિયાના રિપોર્ટ્સ અનુસાર તેઓની ગુરુવારે પટનાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી માટેની સુનાવણી થવાની હતી પણ તેજ પ્રતાપ કોર્ટ પહોંચ્યા નથી
એવા સમાચાર મળી રહ્યા છે કે ગુરુવારના યાદવના પુત્ર તેજ પ્રતાપ કોર્ટમાં સુનાવણી માટે પટના શહેરમાં પરત ફર્યા છે.

  સુનાવણી પહેલા તેજ પ્રતાપના વકીલોએ એવો દાવો કર્યો હતો કે અમે બંને પક્ષે સમાધાન કરાવવા અને લગ્નને બચાવવાના સંપૂર્ણ પ્રયત્નો કરીશું.
 
જ્યારે બીજી બાજુ, પત્ની ઐશ્વર્યા પર નિશાન સાધતા તેજ પ્રતાપે કહ્યું હતું કે હું તેની મીઠી-મીઠી વાતો દ્વારા મારા નિર્ણયથી ભટકાઈ નહીં જાઉં. મને વાતની ચોક્કસ જાણકારી છે કે મારે શું કરવાનું છે. મેં ખૂબ વિચારીને નિર્ણય લીધો છે. ત્યારે તેજ પ્રતાપે વાતથી નારાજ થઈ ગયા હતા કે તેમના છૂટાછેડાના નિર્ણયના મુદ્દે પરિવાર તેમની સાથે નથી.

(1:36 am IST)