Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સોપોરમાં આતંકવાદીઓની શોકસભા બાદ દેખાવો :ભારે પથ્થરમારો

ઉત્તર કાશ્મીરના સોપોરમાં એક આતંકવાદીના અંતિમ સંસ્કાર દરમિયાન દેખાવકારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે.

  બડગામમાં એન્કાઉન્ટરમાં ઠાર થયેલા લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર નવીદ જટ સહીત બે આતંકીઓ માર્યા ગયા હતા. ઠાર થયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કાર માટે ઈકબાલ માર્કેટ ખાતે શોકસભાનું આયોજન કરાયું હતું  શોકસભા બાદ દેખાવો શરૂ થઈ ગયા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

(10:30 pm IST)