Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

દિલ્હીમાં તમારો જણ... બેય હાથમાં લાડુ... પાંચેય આંગળી ઘીમા

મોરબીમાં પીએમ મોદીની જંગી જાહેરસભા અભૂતપૂર્વ માનવમેદનીઃ વિકાસના નામે મતદાન કરવા અપીલ : ભાજપ જેવી પાર્ટીને તો ૧૦૦ વર્ષ સુધી હરાવવી ન જોઇએઃ કામમાં ઉણા ઉતરીએ તો લાત મારીને કાઢી મુકજોઃ કોંગ્રેસ - મનમોહન ઉપર વરસ્યા

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે મોરબી ખાતે હકડેઠઠ ભરેલી જનમેદનીને સંબોધી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, ભાજપના ઉમેદવારો કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, રાઘવજીભાઈ ગડારા, જયરામભાઈ સોનાગરા તથા ભાજપના હોદેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. (તસ્વીરઃ અશોક બગથરીયા)

મોરબી તા. ૨૯ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મોરબીમાં પોતાની સભામાં સૌરાષ્ટ્રના સૌથી મોટા પાણીના પ્રશ્નને બખૂબી ઉઠાવ્યો હતો. લાખા વણઝારાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, કોઈએ પાણીની પરબ કરી હોય, વટેમાર્ગુને પાણી પાયું હોય તો તેના છોકરાના છોકરાનું પણ આદર કરવાના સંસ્કાર આપણામાં છે. કોઈ લાખા વણઝારાએ પાણીના સંકટમાં એક વાવડી કરી હોય, તે કોણ હતો કયાં જનમ્યો હતો તેનું ઈતિહાસમાં ભલે નામોનિશાન હોય, પરંતુ તેણે એક વાવડી કરી હોય તો સેંકડો વર્ષ પછી પણ તેની પૂજા થાય છે. ભાજપને ગુજરાતે સદીઓ સુધી યાદ કરવી પડશે, જેણે લાખા વણઝારાની જેમ દ્યેરદ્યેર પાણી પહોંચાડવા અભિયાન કર્યું હતું. વિકાસના બીજા બધા કામ કરવાની સાથે પાણી જેવી મૂળભૂત સમસ્યા પર કામ કર્યું હોય તેવી પાર્ટીને તો સો વર્ષ સુધી ન હરાવવી જોઈએ.

પીએમે સૌરાષ્ટ્રના પાણીના પ્રશ્નને હલ કરવા માટે પોતાની સરકારે કરેલા કામો ગણાવતા કહ્યું કે નર્મદાના પાણી આવ્યું તે પહેલાનું સૌરાષ્ટ્ર અને તે પછીનું સૌરાષ્ટ્ર, ભાજપના શાસન પહેલાનું સૌરાષ્ટ્ર અને પછીના સૌરાષ્ટ્ર વચ્ચે ત્રાજવે તોલી સરખામણી કરી જોજો, અમે ઉણાં ઉતરીએ તો લાત મારી કાઢી મૂકજો. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં પણ તમારો જણ બેઠો છે.. ગુજરાતી તો બરાબર હિસાબ માગે, કોઈ દી ખોટનો ધંધો ન કરે. બેય હાથમાં લાડૂ અને પાંચેય આંગળી દ્યીમાં તેવો અવસર પહેલી વાર આવ્યો છે, તેને જતો ન કરતા.

જીએસટીના અલગ-અલગ સ્લેબનો વિરોધ કરી માત્ર ૧૮ ટકાનો એક જ સ્લેબ રાખવાની માગ કરી રહેલા વિરોધીઓને મોદીએ પોતાના ભાષણમાં બરાબરના આડે લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમને મીઠાં પર પણ ૧૮ ટકા જીએસટી રાખવો છે અને પાંચ કરોડ રુપિયાની ગાડી પર પણ.. મીઠું અને પાંચ કરોડની ગાડી એક ટેકસે કઈ રીતે તોલાય? પીએમે દાવો કર્યો હતો કે, ગરીબોને ઉપયોગી જે વસ્તુઓ સૌથી ઓછા રેટમાં આવે છે તેના પર ૧૮ ટકા ટેકસ લાદી વિરોધીઓ તેને મોંદ્યી બનાવવા માગે છે, સીગરેટ અને શરાબ જેવી વસ્તુઓને સસ્તી બનાવવા માગે છે, આનાથી મોટો ગરીબ વિરોધી વિચાર બીજો કોઈ ન હોઈ શકે.

મોદીએ કહ્યું હતું કે, અમદાવાદ આવીને મનમોહન સિંહજીએ કહ્યું કે મોદી જયારે સીએમ હતા ત્યારે મારી સાથે નર્મદાની વાત જ નથી કરી તે સાંભળી મને દુૅંખ થાય છે. તે વડીલ છે, કદાચ ઉંમરને કારણે તે ભૂલી ગયા હશે. કદાચ કોંગ્રેસના દબાણને કારણે બોલી ન શકયા. હું તેમને મળતો ત્યારે કહેતો કે દરવાજા તૈયાર છે, તે ડેમમાં નાખવા તો દો, ભલે બંધ કરવાની ભલે પરમિશન ન આપો. તેમને અનેકવાર આ વાત યાદ અપાવી, અને આખરે કોર્ટના હુકમથી દરવાજા નાખવાની પરમિશન લાવવી પડી, અને હું પીએમ બન્યો તેના ૧૭ દિવસમાં જ મેં પરમિશન આપી દીધી.

નોટબંધીનો વિરોધ કરી રહેલા વિરોધીઓ પર પીએમે વરસતા કહ્યું હતું કે, નોટબંધીનો વિરોધ એ લોકો જ કરી રહ્યા છે જેમનું બધું તેમાં લૂંટાઈ ગયું. જનતાને સીધો સવાલ કરતા તેમણે પૂછ્યું હતું કે, તમારા લોકોનું નોટબંધીમાં શું ગયું? તમારે કશીય તકલીફ પડી? જેમને તકલીફ પડી તેમના ૧૨ મહિને પણ આંસૂ સૂકાતા નથી. તમે જનતા જનાર્દનનું બધું લૂંટ્યું છે તે મોદી પાછું કઢાવશે અને ગરીબનું ગરીબને આપીને રહેશે.

પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા મોરબી જિલ્લામાં આજે પીએમ મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. પીએમે ગુજરાતમાં પોતાની સરકારમાં ખેડૂતો માટે થયેલા કાર્યોને ગણાવતા દાવો કર્યો હતો કે, નર્મદાના પાણીથી ખેતપેદાશ બમણી થઈ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમે કહ્યું હતું કે તેનો દ્યાટ 'દુઃખે છે પેટ અને કૂટે છે માથું' જેવો થયો છે. સાથે જ તેમણે લોકોને એમ પણ કહ્યું હતું કે, મોરબીમાં મારે ઝઘડો કરવો છે..

ગઈ કાલે રાત્રે જ રાજકોટ પહોંચેલા પીએમે પરશુરામ ગ્રાઉન્ડ પર જનમેદનીને સંબોધી હતી. પીએમે પોતાના ભાષણની શરુઆત 'કેમ છો બધા..'થી કરી હતી. પીએમે કહ્યું હતું કે, આજે મારે મોરબીમાં મારે ઝઘડો કરવો છે, મોરબીથી મને ફરિયાદ છે, જો તમને ખોટું ન લગાડો તો ફરિયાદ કરું..

પીએમે કહ્યું હતું કે, ૨૦૧૪માં જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે હું પ્રચાર કરવા મોરબી આવ્યો હતો, તે વખતે આનાથી અડધા લોકો પણ નહોતા આવ્યા. બોલો, મારી ફરિયાદ સાચી કે ખોટી? પીએમે કહ્યું હતું કે, મોરબી સાથે મારો વિશેષ નાતો છે. કોઈ એવી સુખ, દુઃખની ઘડી નહીં હોય કે જયારે મારો અને મોરબીનો નાતો ન આવ્યો હોય.

પીએેમે કહ્યું કે, જયારે મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે હું કેરળ હતો અને ત્યાં મને મોરબીના સમાચાર મળ્યા. મહિના કરતા પણ વધુ સમય મેં મોરબીના તે દુખના દિવસોમાં મેં ગાળ્યો હતો કાદવ ઉંચકવાનો હોય કે મૃત પશુઓને ઉંચકીને લઈ જવાના હોય, કેટલાય લોકો એવા હતા જેનું કોઈ બચ્યું નહોતું તેવાના અગ્નિ સંસ્કાર પણ કર્યા હતા.

પીએમે મચ્છુ હોનારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ત્યારે મોરબીની હાલત એવી હતી કે સમગ્ર શહેરમાં ભયાનક વાસ આવતી હતી, ત્યારે અમે કાર્યકરો મડદાં ઉચકતા હતા, સફાઈ કરતા હતા. રાહુલ ગાંધીનું નામ લઈ મોદીએ કહ્યું હતું કે, તે વખતે તમારા દાદી ઈન્દિરા ગાંધી મોરબી આવ્યા હતા, અને તે વખતે તેઓ મોં પર રૂમાલ બાંધી દુર્ગંધથી બચવા આમતેમ ભાગતા હતા, અને તે વખતે જનસંઘના કાર્યકરો પગ કાદવમાં ખૂંપી જાય તેવા માહોલમાં કામ કરતા હતા.

કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, દુખના દિવસોમાં પણ જેમને પોતાની જ પડી હોય તે લોકો તમારા માટે કયારેય કશુંય નથી કરવાના. કચ્છના ભૂકંપનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, તે દુૅંખના દિવસોમાં પણ મોરબી પહોંચવામાં મેં પાછી પાની નહોતી કરી. મોરબી તો શું, ગુજરાતનો કોઈ ખૂણો એવો નહીં હોય કે જયાં સતત ૪૦ વર્ષથી સત્ત્।ામાં હોઈએ કે ન હોય અમે જનતાના સુખ દુઃખના સાથી રહ્યા છીએ.

હોનારત પછી વિકાસ કેમ કરાય તે મુદ્દે બોલતા મોદીએ કહ્યું હતું કે, દેશમાં જયાં પણ મોટી કુદરતી હોનારત થઈ છે ત્યાં આફતના વર્ષો પછી પણ ત્યાંની સ્થિતિ કેવી છે તે જુઓ, અને ગુજરાત મોડેલ જોઈ લો કે આફતને ગુજરાતે કઈ રીતે અવસરમાં ફેરવી છે.. જેનું ઉદાહરણ મોરબી છે, જેનું આજે આખા હિન્દુસ્તાનમાં નામ છે. તેમણે જણાવ્યું હતું કે, બનારસમાં પણ લોકોને મોરબીને જાણે છે, અને મોરબીની ટાઈલ્સો ત્યાં મળે છે.

મોરબીમાં પોતાના દિવસો યાદ કરતા મોદીએ કહ્યું હતું કે, હું જયારે અહીં મંદિરોમાં રહેતો ત્યારે ગામના જ છોકરા મારા સાથી બની સેવાના કાર્યમાં લાગ્યા હતા. પીએમે આડકતરી રીતે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સગો એ જે દુખમાં સાથ આપે, બાકી મલાઈ ખાનારા વારેતહેવારે નીકળી પડે છે.

ગુજરાત મોડેલ પર ઘણા લોકો મને સવાલ કરે છે. તેમ જણાવતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસનું વિકાસ મોડેલ એટલે હેન્ડપંપ અને ગુજરાતના વિકાસનું મોડેલ એટલે નર્મદાના પાણીને પાઈપલાઈન દ્વારા સૌરાષ્ટ્રમાં લાવવાની સૌની યોજના. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમે કહ્યું હતું કે, એક હેન્ડપંપ પર ત્રણ ચૂંટણીમાં વોટ પડાવી જવા એ કોંગ્રેસનું મોડેલ હતું.

પાણીના પ્રશ્ન માટે પોતાની સરકારે કરેલા કાર્યોને ગણાવતા પીએમે કહ્યું હતું કે અમે ચેકડેમ, ખેત તલાવડી બની અટકયા નહીં. નર્મદાના પાણીને પાઈપલાઈન દ્વારા સૌરાષ્ટ્ર પહોંચાડવાના પ્રયાસ શરુ કર્યા. આજે સૌની યોજના દ્વારા અમે સો માળ જેટલી ઉંચાઈ પર નર્મદાના પાણીને પહોંચાડી રહ્યા છે, આ કામને આજે દેશભરમાંથી લોકો જોવા આવે છે.

મોદીએ કહ્યું હતું કે, નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને મળતું થતાં જ આજે ખેત પેદાશનું ઉત્પાદન બમણું થઈ ગયું છે. ખેતીની આવક પણ ૫૦૦ કરોડથી વધીને ૧૭૦૦ કરોડ પર પહોંચી છે. પીએમે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પીએમે અહીં પણ વ્યકત કર્યો હતો.

૭૦ વર્ષથી જે કુટુંબે દેશ પર રાજ કર્યું છે, અને તેનામાં પોતાના કામનો હિસાબ આપવાની ત્રેવડ નથી તે ગુજરાતની ધરતી પર બોલીને મનફાવે તેમ બોલી રહ્યા છે, ગુજરાતના લોકો તેમને કયારેય માફ નહીં કરે. મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, સીએમ તરીકે હું ખેડૂતોને યુરિયા આપવા રજૂઆત કરતો ત્યારે દિલ્હીમાં બેઠેલી સરકાર મને સાંભળવા તૈયાર નહોતી.

પીએમે કિસાન સંપદા યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ખેડૂત જો મગફળી વેચવા જાય તો ભાવ ઓછા મળે, પણ તેનું તેલ વેચે તો વધારે પૈસા મળે, ટામેટાંને બદલે તેનો કેચઅપ બનાવી ખેડૂત વેચે તો તેને કમાણી વધારે થાય. આવા જ ઈનોવેશનને પ્રોત્સાહન મળે તે માટે સરકારે છ હજાર કરોડની યોજના જાહેર કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે મોરબીના પ્રવાસે છે. મોરબી ખાતે જંગી જાહેરસભાને સંબોધી હતી. મોરબી ખાતે વડાપ્રધાનને સાંભળવા માટે માનવ મહેરામણ ઉમટી પડયો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, અમારૂ વિકાસ મોડલ નર્મદા છે. કોંગ્રેસ એક હેન્ડ પમ્પ ઉપર ત્રણ - ત્રણ ચૂંટણી લડે છે તેમ કહીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પહેલા હેન્ડ પમ્પ માટે બોર કરવાના વચનો આપે છે, બીજી ચૂંટણીમાં હેન્ડ પમ્પમાં લાઈન મુકવાનો વચનો આપે છે અને ત્રીજી વખતે તેમા હેન્ડ પમ્પ મુકે છે આવી રીતે એક જ મુદ્દા ઉપર કોંગ્રેસ લોકોને છેતરે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યુ કે, જીએસટી મુદ્દે કાગારોળ મચાવનારા સસ્તી સિગારેટ અને દારૂ માગે છે. લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓમાં જીએસટીના ટકા ખૂબ જ ઓછા છે જ્યારે વ્યસનમુકત કરવા માટે દારૂ, સિગારેટ સહિતની વસ્તુઓ ઉપર કેન્દ્ર સરકારે વધુ જીએસટી લગાવ્યો છે, જ્યારે સિરામીક ઉદ્યોગને પણ સસ્તો ગેસ મળે તે માટે સરકારે જીએસટી દર ઘટાડી દીધો છે.

નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધી મુદ્દે વધુમાં જણાવ્યુ કે હું બધુ પાછુ લઈને રહેવાનો છું. ગરીબોના નાણા લઈને અન્યાય કરનારાને હું કયારેય માફ નહીં કરૂ. ગરીબોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર નિર્ણયો લેશે. ગુજરાતમાં નર્મદાના નીર લાવીને ખેડૂતોને અને લોકોને સિંચાઈનો તથા પીવાના પાણીનો પ્રશ્ન હલ કર્યો છે. ચેકડેમ, તળાવો અને મોટા ડેમોમાં નર્મદાના નીર હિલોળા લેતા જોઈને ખેડૂતોના મનને ટાઢક થઈ છે.

નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ સામે આક્ષેપ કરતા જણાવ્યુ કે કોંગ્રેસની જેમ અમારે વાતોના વડા નથી કરવા.. ૭૦ વર્ષ સુધી કરેલા શાસનમાં શું કર્યુ ? તેનો જવાબ કોંગ્રેસ પાસે માંગવો છે. ભાજપની સરકાર આવતા જ યુરીયાની કટકી બંધ થઈ ગઈ છે. અમે સોેનિયા અને મનમોહન સરકાર સામે બાથ ભીડવાની હિંમત કરી છે. આગામી ૧૦૦ વર્ષને નજરમાં રાખીને ભાજપ સરકાર ચાલે છે. માત્ર ચૂંટણી લક્ષી વચનો કોંગ્રેસની જેમ અમે આપતા નથી. દુઃખના દિવસોમાં માત્ર પોતાની જ પડી હોય તે સામાન્ય જન માટે કંઈ ન કરી શકે. અમો જનતા જનાર્દનના સુખ-દુખના સાથી રહ્યા છીએ.

નરેન્દ્રભાઈ મોદીએ અંતમાં જણાવ્યુ કે, વડાપ્રધાન બન્યાના ૧૭મા દિવસે જ મનમોહન સરકારે કરેલ અન્યાયનો બદલો લઈને નર્મદા ડેમના દરવાજાની મંજુરી કોર્ટમાંથી મંગાવી લઈને લોકોને ન્યાય અપાવ્યો છે. આ માટે ૧૦૦ વર્ષ સુધી આવી સરકારને હટાવવી ન જોઈએ.  આ તકે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, જયંતીભાઈ કવાડિયા, બાવનજીભાઈ મેતલીયા, મેઘજીભાઈ કણઝારીયા, ભાજપના ઉમેદવારો કાંતીભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મોદી મોરબીમાં છવાઇ ગયા

મોદી હેલિકોમ્પ્ટર મારફતે પહોંચ્યા ત્યારે ઉત્સાહ

 અમદાવાદ, તા. ૨૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઝંઝાંવતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. મોડી રાત્રે ગુજરાત પહોંચ્યા બાદ મોદીએ આજે સવારે સૌથી પહેલા સિરામિક હબ મોરબીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધીને વિકાસની વાતો કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે કોંગ્રેસના વિકાસ અને ભાજપના વિકાસને જોઇને તેની સરખામણી કરીને મત આપવાની જરૂર છે. પ્રચારની સાથે સાથે નીચે મુજબ છે

૨૭મી નવેમ્બરના દિવસે ભુજ, જસદણ, અમરેલીના ધારી અને સુરતના કડોદરામાં જોરદાર પ્રચાર કર્યા બાદ આજે ફરી આક્રમક ચૂંટણી પ્રચારની શરૂઆત કરી

મોદી નિર્ધારિત સમય પર આવી પહોચ્યા બાદ  મોરબી સાથે પ્રચારની શરૂઆત કરી . સોમનાથના પ્રાચી, ભાવનગરના પાલિતાણા અને નવસારીમાં આક્રમક પ્રચાર કરનાર છે

સિરામિક હબ મોરબીમાં મોટી સંખ્યામાં લોકો મોદીને સંભાળવા માટે પહોંચ્યા

મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જેથી પહેલાથી જ મજબુત સુરક્ષા

મોદી સભાના સ્થળ પર હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા

મોદી સભા સ્થળ પર પહોંચ્યા બાદ ભારત માતા કી જય અને મોદી મોદીના નારા લાગ્યા

મોદીની દરેક જાહેર સભાના સ્થળ તરફ દોરી જતા માર્ગો પર સુરક્ષા મજબુત કરવામાં આવી

મોદીની રેલીને લઇને તમામ જગ્યાએ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ દેખાયો

મોદીએ મોરબીમાં તેમના સંબોધનમાં નોટબંધી અને જીએસટીને લઇને પણ વાત કરી

સોમવારના દિવસની જેમ જ બુધવારે પણ સંબંધિત બેઠકના ઉમેદવારો મંચ પર હાજર રહ્યા

મોદી વિકાસના મુદ્દાને ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કોંગ્રેસના વિકાસ મોડલને હેન્ડપંપ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી

પ્રથમ દિવસે સોમવારે પ્રચંડ પ્રચાર મોદીએ કર્યા બાદ કાર્યકરોમાં ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં નવમી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૮૯ સીટને આવરી લેવામાં આવનાર છે

બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. જેમાં અમદાવાદ સામેલ છે

 

(4:32 pm IST)