Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

દિવાળી પર્વ નીમિતે અમદાવાદ આવેલા ગૃહપ્રધાને દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કર્યા બાદ આજે ભાઇબીજના પર્વે તેમની બહેનને ત્યાં જઇને ભોજન લઇ દિલ્હી જવા રવાના

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી જવા રવાના થયા છે. દિવાળી પર્વ નીમિતે અમદાવાદ આવેલા ગૃહપ્રધાને દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કર્યા બાદ આજે ભાઇબીજના પર્વે તેમની બહેનને ત્યાં જઇને ભોજન લીધુ હતું ત્યારબાદ અમિત શાહ દિલ્હી જવા માટે રવાના થયા છે.

અમિત શાહે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ખાત મુહૂર્ત તેમજ લોકાર્પણના કાર્યો તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. જે બાદ આજે ભાઇબીજે બહેનની મુલાકાત પછી તેઓ દિલ્હી જવા રવાના થયા છે. જોકે હાલમાં મહારાષ્ટ્રની રાજકીય સ્થિતીને જોતા અમિત શાહ મહારાષ્ટ્ર પણ જઇ શકે છે.

(1:43 pm IST)