Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

પઠાણકોટ અને મુંબઇ આતંવાદી હૂમલાના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે પાકિસ્તાન : જાપાનની સાફવાત

આતંકવાદનાં વધતા ખતરા અને તેની વૈશ્વિક પહોંચ અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી

 

ટોક્યો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમના સમકક્ષ જાપાની વડાપ્રધાન શિંજો આબેએ પાકિસ્તાનને કહ્યું કે, તેઓ મુંબઇ અને પઠાણકોટ હૂમલાના આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. બંન્ને નેતાઓએ અહીં ઔપચારિક શિખર સમ્મેલનમાં આતંકવાદનાં વધી રહેલા ખતરા અને તેની વૈશ્વિક પહોંચ અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી

બંન્ને નેતાઓની વચ્ચે બે દિવસ ચાલેલી શીખર મંત્રણા બાદ ચાલી રહેલ ભારત - જાપાન દ્રષ્ટી વકતવ્યના અનુસાર તેમણે નવેમ્બર, 2008માં મુંબઇમાં અને જાન્યુઆરી 2016માં પઠાણકોટ હૂમલા સહિત આતંકવાદી હૂમલાના ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી માટે પાકિસ્તાનને આહ્વાન કર્યું

(12:29 am IST)