Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

દર પાંચવર્ષે ચૂંટણી પહેલા ભાજપ રામ મંદિરના મુદ્દે ધ્રુવીકરણનો પ્રયાસ કરે છે :પી,ચિદમ્બરમનો આરોપ

કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન હોય કોંગ્રેસે આ ચર્ચામાં કૂદવાની કોઇ જરૂર નથી.

નવી દિલ્હી :અયોધ્યા વિવાદ પર ભાજપના નેતાઓએ રામ નામની વાતો શરુ કરી છે ત્યારે કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે 2019ની ચૂંટણી પહેલા ભાજપ પર ધ્રૂવીકરણનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું  કે તે ઘણું સ્વાભાવિક છે. દર પાંચ વર્ષે ચૂંટણી પહેલા ભાજપ રામ મંદિરના મુદ્દે ધ્રુવીકરણનો પ્રયાસ કરે છે.

   પૂર્વ નાણામંત્રી પી, ચિદમ્બરમે કહ્યું કે આ મુદ્દે કોંગ્રેસનો સ્પષ્ટ મત છે કે કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. તેથી કોંગ્રેસે આ ચર્ચામાં કૂદવાની કોઇ જરૂર નથી.

(11:23 pm IST)