Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ડુંગળી અે કફ-શરદી-તાવ મટાડવા માટેનું અસરકારક ઘરેલુ ઉપચાર

આપણા રસોડામાં ડુંગળી તો મળી રહે છે. સ્વાદિષ્ટ વાનગીઓ ડુંગળી વિના અધૂરી છે. ડુંગળીમાં કેલેરીઝ ઓછી હોય છે અને વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ તથા સલ્ફર જેવા પોષકતત્વો રહેલા છે.

 

શરદી તાવમાં ડુંગળીઃ

ડુંગળી સ્વાસ્થ્ય માટે તો સારી છે પરંતુ તે તાવ-શરદીમાં પણ ઈન્સ્ટન્ટ રાહત આપે છે. નિષ્ણાંતોના જમાવ્યા મુજબ ડુંગળી શરદી, કફ, તાવ, ગળાનો દુઃખાવો દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

શું કરવું જોઈએ?

શરદી થઈ હોય કે તાવ આવતો હોય તો ડુંગળીનું પાણી પીવાથી ફાયદો થાય છે. તમારે માટે ડુંગળીને પીવાના પાણીમાં છથી આઠ કલાક પલાળી રાખવાની છે. દિવસમાં ત્રણ વાર ત્રણથી ચાર ચમચી જેટલુ પાણી પીવુ. આમ કરવાથી તરત તમને શરદી-તાવમાં રાહત અનુભવાશે.

રોગપ્રતિકારક શક્તિ વધારેઃ

આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે આપણે માંદા પડીએ છીએ. ડુંગળીમાં ફાયટોકેમિકલ્સ હોય છે જે શરીરમાં વિટામિન સીનો સંચય વધારે છે. વિટામિન સી શરીરની રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે. ડુંગળીમાં રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા સેલેનિયમ, સલ્ફર કંપાઉન્ડ, ઝિંક, વિટામિન સી જેવા તત્વો હોય છે. ઉપરાંત તેમાં ક્વેરસેટિન નામનું તત્વ હોય છે જેમાં વાઈરસ સામે લડવાની ક્ષમતા રહેલી છે.

કફ મટાડેઃ

ડુંગળી કફ મટાડવાનો અસરકારક ઘરેલુ ઉપચાર છે. માટે ડુંગળીને સમારીને એક વાડકામાં રાખો. તેમાં પીવાનું પાણી ઉમેરી દિવસમાં ત્રણથી ચાર વાર પીતા રહો. પરંતુ વાતનું ધ્યાન રાખો કે તમે ફ્રેશ પાણી પીઓ. ડુંગળીના રસથી કફ પળવારમાં દૂર થઈ જાય છે.

ગળાનો દુઃખાવોઃ

કફ શરદી થાય ત્યારે ગળુ પણ પકડાઈ જાય છે. ઉપર જણાવ્યું તેમ ડુંગળીમાં સલ્ફર હોય છે જે કફ છૂટો પાડી દે છે અને તે મોં વાટે શરીરમાંથી નીકળી જાય છે. ડુંગળીમાં શક્તિશાળી એન્ટિબાયોટિક્સ રહેલા હોય છે જે વાઈરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન સામે લડત આપે છે. કારણે ગળુ પકડાઈ ગયુ હોય તો તેમાં પણ ડુંગળીનું પાણી પીવાથી લાભ થાય છે.

તાવઃ

ઘણા સમયથી તાવ આવતો હોય અથવા તો ટેમ્પરેચર ઊંચુ રહેતુ હોય તેવામાં ડુંગળી ખૂબ અસરકારક ઘરેલુ ઉપચાર છે. તે શરીરનું તાપમાન નીચુ લાવી દે છે અને તાવને કારણે થતો શરીરનો દુઃખાવો પણ મટાડી દે છે. તાવ માટે ડુંગળી ઝીણી સમારીને તેને એક મોટા બાઉલમાં રાખી દો અને તેમાં છથી સાત કલાક માટે પીવાનું પાણી નાંખીને રહેવા દો. મિશ્રણને દિવસમાં ત્રણથી ચાર વાર પીઓ. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જશે અને તમે સાજા થઈ જશો.

શરદીઃ

નાક ભરાઈ ગયુ હોય તો તેના માટે પણ ડુંગળી અસરકારક ઈલાજ છે. એક ચમચી ડુંગળીના રસમાં તમારી શરદી મટાડવા માટે જરૂરી તમામ એન્ટિ ઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. તમે સલાડ અને ફૂડમાં ડુંગળી જેટલી વધારે લેશો તેટલા જલ્દી સાજા થઈ જશો.

(5:49 pm IST)