Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

અયોધ્યા વિવાદઃ હવે ભાજપ શું કરશે? સંસદના શિયાળુ સત્રમાં ખરડો લાવશે?

નવી દિલ્હી : અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ૩ મહિના માટે ટળી ગઇ છેઃ ર૦૧૯ ની ચૂંટણી પુર્વે-સરકાર ઉપર ઘરની અંદરથી જ ચોતરફ દબાણ બને છે કે તે રામ મંદિર માટે ગૃહમાં કાનુન લાવે અને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરેઃ ભાજપ માટે પણ ચૂંટણી માટે આ મુદ્ે મહત્વનો છેઃ સંતોના એક વર્ગે પણ આ વર્ષે ૬ ડીસે.થી મંદિર નિર્માણની જાહેરાત કરી છે સરકાર આ બાબતે આડે ન આવેઃ આ સ્થિતિમાં ભાજપ પાસે એક રસ્તો છે અને તે છે ખરડો લાવવાનોઃ સરકાર શીયાળુ સત્રમાં ખરડો લાવી શકે છેઃ આ થકી ભાજપ મતદારોને જણાવશે તે સામે રામ મંદિર માટે પ્રતિબધ્ધ છીએ. વિપક્ષ વિરોધ કરવાની સ્થિતિમાં રહી નહિ શકેઃ ચૂંટણી પૂર્વે ભાજપ પાસે લોકોને સ્પષ્ટ સંદેશ આપવા આ એક જ રસ્તો છે (પ-ર૭)

(3:49 pm IST)