Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

જગનમોહન રેડ્ડી પર હુમલા મામલે YSRCPના નેતાઓએ રાજનાથસિંહને આવેદન પત્ર પાઠવ્યુ

આંધ્રપ્રદેશ સરકાર દ્વારા હુમલો કરનારને ક્લિન ચીટઆપવાની કોશિશ કરતી હોવાનો આરોપ

નવી દિલ્હી :વાયએસઆરસીપીના નેતા જગનમોહન રેડ્ડી પર થયેલા હુમાલ મામલે  YSRCPના નેતાઓએ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે કરી મુલાકાત છે. જગનમોહન રેડ્ડી પર થયેલા હુમલા મામલે YSRCPના નેતાઓએ રાજનાથસિંહને આવેદન પત્ર પાઠવ્યુ છે.

YSRCPના નેતાઓનું કહેવુ છે કે, આંધ્ર પ્રદેશની સરકાર પર વિશ્વાસ મુકી શકાય તેમ નથી. સરકાર હુમલો કરનારને ક્લિન ચીટ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. મહત્વ પૂર્ણ છે કે, ગત દિવસે એરપોર્ટ પર જગનમોહન રેડ્ડી પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેમને સારવાર આપવામાં આવી હતી.

(3:46 pm IST)