Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

રામ મંદિરના મહંત બોલ્યા:મંદિર નિર્માણ માટે અમને માત્ર ભગવાન પર વિશ્વાસ છે :કોઇ વ્યક્તિ પર નહીં

અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસ ન કરવાના સવાલ પર મહંતે કહ્યું કે અમે લોકો કોઇ નેતાને બોલાવતા નથી

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દા પર શ્રી રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે રામ મંદિર નિર્માણ માટે અમને માત્ર ભગવાન પર વિશ્વાર છે, કોઇ વ્યક્તિ પર નથી. તેમણે કહ્યું કે એક તરફ પીએમ મોદી છે તો એક તરફ સીએમ યોગી છે. મંદિર નિર્માણનો આજ યોગ્ય સમય છે. અયોધ્યામાં પીએમ મોદીના પ્રવાસ ન કરવાના સવાલ પર મહંતે કહ્યું કે અમે લોકો કોઇ નેતાને બોલાવતા નથી, અમે માત્ર ભગવાનને બોલાવીએ છે.

  તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થવુ જોઇએ. અમને કોઇની પર વિશ્વાસ નથી. અમે બધા જ સુપ્રીમ કોર્ટનું સમ્માન કરીએ છે. પરંતુ તેમની વાતોનું સમ્માન કરતા નથી. અમને વિશ્વાસ છે કતે મોદી સરકારમાં રામ મંદિર બનશે. તેમણે કહ્યું કે બધા સાધુ-સંતોએ નરેન્દ્ર મોદીને મંદિર નિર્માણ માટે પ્રધાનમંત્રી પદ પર મોકલ્યા છે.

(1:43 pm IST)