Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

જી.એસ.ટી. કરદાતાઓને ચાર વર્ગમાં વિભાજીત કરશે સરકાર

જી.એસ.ટી ની આવક વધારવા થઇ રહી છે કવાયત

નવી દિલ્હી તા ૨૯ : કેન્દ્ર સરકાર જી.એસ.ટી. હેઠળ કર વસુલાત વધારવા કરદાતાઓ ને ચાર વર્ગમાં વહેંચવાની તૈયારી કરી રહી છે.જેમાં જાણીજોઇને કર ન આપનાર અને ઇમાનદાર કરદાતાઓ માટે અલગ અલગ રણનિતી અપનાવાઇ છે. આના માટે કેન્દ્રીય અપત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ કરદાતાઓની ટેકસ ચુકવવાનીપેટર્નનો અભ્યાસ કરીને એક વિશેષ ટીમ તૈયારકરશે. આ  ટીમ ફીલ્ડમાં રહેલા અધિકારીઓને જણાવશે કે કરદાતાઓને કયા વર્ગમાં મુકવા અને તેમની પાસેથી કઇ રીતે કામ લેવું કરદાતાઓને કર ચુકવવાની પેટર્ન ના આધારે તેમને ડીસએન્ગેજડ રેસીસ્ટર્સ, ટ્રાયર્સ અને સપોર્ટર્સ એવી ચાર શ્રેણીમાં વિભાજીત કરાયા છે. યોજના અનુસાર અજાણતા કર ન ચુકવનાર પ્રત્યેુ કર વિભાગ નરમ વલણ અપનાવશે અને તેમને કરના કાયદાઓનું પાલન કરીને કર ચુકવવાનું કહેવામાં આવશે.

તેમને ઇમેલ કરીને યાદ દેવડાવવામાં આવશે, તેમને હપ્તાથી ટેક્ષ ભરવા જોગવાઇઓ વિશે પણ જણાવવામાં આવશે, આનાથી કર વસુલાતના મામલાઓ ઝડપથી નિપટાવવામાં મદદ મળશે, અને દરેક કેસને બીન જરૂરી રીતે કાયદેસરની કાર્યવાહીમાં ખેંચવાની ઝંઝટ નહી રહે.

નિષ્ણાંતો અનુસાર, જીએસટી હેઠળ રાજયોને પાંચ વર્ષ સુધી વળતર આપવાની ગેરંટી, રાજકોષીય  ઘટ વધવી જેવા કારણોથી સરકારની ચિંતા વધી છે, જીએસટી પરિષદે લગભગ ૩૦૦ થી વધારે ઉત્પાદનો પર કર પણ ઘટાડયો છે, જેના લીધે કરની આવક પણ ઘટી છે. એટલે ટેકસની વસુલાત વધારવા માટે નવા નવા રસ્તા અજમાવાઇ રહયા છે.

(11:32 am IST)