Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

છઠ્ઠી નવેમ્બરે વડાપ્રધાન કેદારનાથ મંદિર જાય તેવી શકયતા

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી છઠ્ઠી નવેમ્બરે પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જાય તેવી શકયતા છે  તેઓ કેદારનાથ ખાતે પુનર્નિમાણ યોજનાની સમીક્ષા કરે તેમ મનાય છે તેઓ  છઠ્ઠી નવેમ્બરે સવારે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચીને ત્યાંથી એક હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જાય તેવી સંભાવના છે.

  અધિકારીનું કહેવું છે કે વડાપ્રધાનની યાત્રા લગભગ નિર્ધારીત છે. જો કે તેમની પ્રસ્તાવિત યાત્રનો આખરી કાર્યક્રમ જાહેર થયો નથી. પહેલા એવા પ્રકારની અટકળબાજી હતી કે વડાપ્રધાન મોદી નવમી નવેમ્બરે કેદારનાથ મંદિરમાં દર્શન માટે આવે તેવી સંભાવના છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ગત વર્ષ 2017માં પણ કેદારનાથ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા. આમા આદિગુરૂ શંકરાચાર્યની સમાધિનું નવીનીકરણ પણ સામેલ હતું. 2013માં વિનાશકારી પૂરને કારણે કેદારનાથમાં મોટી તબાહી સર્જાઈ હતી.

(12:00 am IST)