Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

અમેરિકાના સમરસેટ ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા શ્રી અશોકભાઈ ઝવેરી (ઉ,વ,76 )નું દુઃખદ અવસાન : 26 ઓક્ટોબર -2018 શુક્રવારના રોજ અંતિમશ્વાસ લીધા : આવતીકાલ 29 ઓક્ટોબર સોમવારે અંતિમક્રિયા : 3 નવેમ્બર 2018 શનિવારે પ્રાર્થનાસભા-બેસણું

સમરસેટ :અખેડા જણાવવાનું કે સમરસેટમાં સ્થાયી થયેલા ભારતના મુંબઈના વાતની શ્રી અશોકભાઈ ઝવેરીનું 26 ઓક્ટો-2018 શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયું છે તેઓ 76 વર્ષના હતા,તથા ત્રિસ્ટેટમાં વસતા હતા,

   તેઓ 1981ની સલમા મુંબઈથી આવીને ન્યૂજર્સીમાં તેમના સિસ્ટર તથા બ્રધર ઈન લો સાથે સ્થાયી થયા હતા તેઓ છેલ્લા 10 વર્ષ જેટલા સમયથી લિન્ડેનમાં ગીફ્ટશોપ ચલાવતા હતા તથા મોટાભાગનો સમય ત્રિસ્ટેટમાં ઇન્ડિયન કોમ્યુનિટીની સેવા માટે વિતાવતા હતા તેમને ભારતીય સંસ્કૃતિ,રીતરિવાજ,રાજકારણ તથા ધર્મોમાં ભારે લગાવ હતો ઉપરાંત તેઓ અમુક ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન સાથે પણ નિષ્વાર્થભાવે સેવા માટે જોડાયેલા હતા તેમણે ભારતની સંસ્કૃતિના વ્યાપ તથા ભારતીયોના સંગઠનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું તેમની પ્રામાણિકતા તથા લાગણીએ  ઇન્ડિયન કોમ્યુનીટીમાં સ્થાન હાંસલ કર્યું હતું

  તેઓ એકલા હતા તથા તેમની પાછળ 4 બહેન અને એક ભાઈને વિલાપ કરતા છોડી ગયા છે તેમને પ્રવાસનો ઘણો શોખ હોવાથી ઘણા દેશોનો તેઓએ પ્રવાસ કર્યો હતો તેઓ હવે આપણી વચ્ચે નથી,પરંતુ તેમની સ્મૃતિ આપણા હૃદયમાં કાયમ રહેશે

   સદ્દગતની સ્મશાન યાત્રા આવતીકાલ 29 ઓક્ટો-2018 સોમવારના રોજ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ફ્રેક્લીન મેમોરિયલ પાર્ક 1800 સ્ટેટ રૂટ,27,નોર્થબ્રન્સ વીક ન્યુજર્સી ( 732-545-4184 )ખાતે રાખેલ છે

  પ્રાર્થના સભા-બેસણું 3 નવેમ્બર શનિવારના રોજ બપોરે 1 થી 3 વાગ્યા દરમિયાન જૈન સેન્ટર,ઓફ ન્યુજર્સી 111 કેદાર ગ્રોવલન સમરસેટ ન્યુજર્સી મુકામે રાખેલ છે

   વિશેષ માહિતી માટે શ્રી શ્રેણિક તલાટીનો કોન્ટેક્ટ ન,908-528-1095 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે

    ભગવાન સદગતના આત્માને શાંતિ આપે તેવું સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ વતી ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ શ્રી વીરુ પટેલની યાદીમાં જણાવ્યું છે

(8:48 pm IST)