Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથેની બેઠકમાં કેપ્ટને ત્રણેય કૃષિ કાયદાની બ્લુ પ્રિન્ટ પર વાતચીત કરી

લગભગ 45 મિનિટ સુધી ચાલેલી દિલ્હીમાં ગૃહમંત્રી શાહ સાથેની બેઠક બાદ રાજકીય ગરમાવો

નવી દિલ્હી :પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અચાનક ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી શાહને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ અટકળો શરૂ થઈ છે કે શું કેપ્ટન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? જોકે કેપ્ટન માટે પાર્ટીમાં જોડાવાનો રસ્તો સરળ નથી.

લગભગ 45 મિનિટ સુધી ચાલેલી દિલ્હીમાં અમિત શાહ સાથેની બેઠક બાદ સટ્ટાનું બજાર ગરમ થઈ ગયું છે. જોકે, કેપ્ટન અમરિંદર માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો આસાન નિર્ણય નહીં હોય .કેપ્ટનની ભાજપમાં જોડાવવાની સંભાવના ઓછી છે કારણ કે પંજાબમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અને છેલ્લા એક વર્ષથી તેઓ કેન્દ્રને ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવા માટે વારંવાર કહી રહ્યા છે. તેઓ હંમેશા કૃષિ કાયદાની વિરુદ્ધ હતા. જો કેપ્ટન આવુ કરશે તો તેમના માટે જોખમકારક છે,

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ કર્યું કે ખેડૂતોના આંદોલન અંગે ચર્ચા થઈ .તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જીને મળ્યા હતા. કૃષિ કાયદાઓ સામે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની ચર્ચા કરી અને તેમને કૃષિ કાયદાઓ રદ કરવા અને પાક વૈવિધ્યકરણમાં પંજાબને ટેકો આપવા ઉપરાંત MSP ની ગેરંટી સાથે કટોકટીનો તાત્કાલિક ઉકેલ લાવવાની વિનંતી કરી.

ખેડૂતો માટે કૃષિ કાયદાના મુદ્દે કેપ્ટન અમરિંદર સિંહ અને અમિતભાઈ  શાહ વચ્ચે ઘણી બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે, જે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટે સહમત થયા છે.  કેપ્ટન અમરિંદરે શાહને વિનંતી કરી છે કે ખેડૂતોને આગામી ડાંગરના પાકને લઈને કોઈ સમસ્યાનો સામનો ન કરવો. ભૂતપૂર્વ સીએમ અમરિંદર સિંહે પંજાબ માટે સીસી મર્યાદા જલ્દી જારી કરવાની વાત કરી છે, જેથી ખેડૂતોને ચુકવણી માટે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને મંડીઓમાંથી પાક સરળતાથી ઉપાડી શકાય.

(9:32 pm IST)