Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

લોકપાલ મુદ્દો અન્ના ર ઓકટોબરથી ફરી મેદાનમાં : શરૂ કરશે ભૂખ હડતાલ

સરકાર ૪ વર્ષથી લોકપાલનો મુદ્દો ટાળી રહી છે

અહમદનગર, તા. ર૯ : સામાજીક કાર્યકર અન્ના હઝારે ફરીથી ભૂખ હડતાલ કરવા જઇ રહ્યા છે. મહાત્મા ગાંધી જયંતિ એટલે કે ર ઓકટોબરથી તેઓ આંદોલન કરશે. તેમણે કહ્યું છે કે, લોકપાલ આંદોલનને કારણે ભાજપ કેન્દ્રમાં સત્તા ઉપર આવ્યો છે અને હવે તે એ બાબતને ટાળે છે.

તેમણે કહ્યું છે કે હું બીજી ઓકટોબરથી ભૂખ હડતાલ કરવાનો છું. તેમણે પીએમ મોદીને પત્ર લખી આરોપ મૂકયો છે કે છેલ્લા ૪ વર્ષથી સરકાર લોકપાલ કે લોકાયુકતની નિમણૂંક નથી કરતી.

તેમણે કહ્યું હતું કે લોકપાલ અને લોકાયુકતની નિયુકતી માટે ૧૬ ઓગસ્ટ ર૦૧૧ના રોજ સમગ્ર દેશ રસ્તા પર આવ્યો હતો અને આ સરકાર પણ આ આંદોલનને કારણે જ સરકાર સતા ઉપર આવી છે. (૮.૪)

(12:00 pm IST)