Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ભારતના મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત લોકોની વહારે ''અક્ષયપાત્ર ફાઉન્ડેશન'': કોલ્હાપુર તથા સાંગલી ડીસ્ટ્રીકટના અસરગ્રસ્તો માટે ભોજન સેવા શરૂ

મુંબઇઃ ભારતના મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તથા પાણીના પૂરના કારણે બેઘર બનેલા અસરગ્રસ્ત લોકોની વહારે આવી અક્ષયપાત્ર ફાઉન્ડેશનએ કોલ્હાપુર તથા સાંગલી ડીસ્ટ્રીકટના ૨૦ હજાર ઉપરાંત લોકોને ભોજન પુરૂ પાડવાની સેવા શરૂ કરી દીધી છે. જે માટે થાણે ખાતે કિચન શરૂ કરી દેવાયું છે. તથા વોલન્ટીઅર્સની ટીમ ખડે પગે સેવાઓ બજાવી રહી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)