Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ વિરૂધ્ધ ફરીયાદ કરનાર વિદ્યાર્થીની ગાયબ થવાનો મામલો સુપ્રિમમાં ઉઠાવતા વકીલો

નવી દિલ્હીઃ ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી  ચિન્મયાનંદ વિરૂધ્ધ એલએલએમની ગુમ થયેલ વિદ્યાર્થીની અંગે વકીલોએ સુપ્રિમમાં જસ્ટીસ એ નવી રમન્નાની બેન્ચ સમક્ષ રજુ કરેલ. કોર્ટે તેમને અલ્હાબાદ હાઇકોર્ટનો સંપર્ક કરવા જણાવેલ, પણ પછી આ મામલો જોવાશે તેમ જણાવેલ. ઉત્તરપ્રદેશના સહારનપુરમાં એક યુવતી દ્વારા ફેસબુક લાઇવ  થકી સ્વામી ચિન્મયાનંદ ઉપર યૌન ઉત્પીડનનો આરોપ લગાડેલ. ત્યારબાદથી તે લાપતા છે. વિદ્યાર્થીનીનો આરોપ છે કે તેને મારી નાખવાની ધમકી મળી રહી છે.

(3:24 pm IST)