Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં થઇ શકે સત્તાપલટો, ફરીવાર સેનાનુ રાજ હશે : સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી તા. ૨૯: જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ ગભરાયેલુ પાકિસ્તાન ભારતને ઘરમાં ઘણા મુદ્દા પર ઘેરાયેલુ છે. પાકિસ્તાન ભારતને લઇને પ્રતિબંધો લગાવી રહ્યુ છે, પરંતુ તેમાં તેને જ નુકશાન થઇ રહ્યુ છે. હવે પાકિસ્તાનમાં થયેલી હલચલ બાદ રાજ્યસભા  સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક મોટી ભવિષ્યવાણી કરી છે સ્વામીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે નવેમ્બર સુધી પાકિસ્તાનમાં સત્તાપલટો થઇ શકે છે. અને એક વખત ફરી સેનાનુ રાજ હશે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને લખ્યુ 'વિદેશમાં બેઠેલા મારા મિત્ર જણાવી રહ્યા છે કે પાકિસ્તાની સેના અને આઇએસઆઇના સંબંધ  ઈમરાન ખાન સાથે સંપૂર્ણ રીતે કપાઇ ગયા છે. નવેમ્બર સુધી પાકિસ્તાનમાં સેના સતાપલટો કરી શકે છે. તેમાં ભારતને કોઇ મતલબ નથી કારણ કે અમારો ગોલ સંપૂર્ણ રીતે સાફ છે.'

(11:29 am IST)