Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

માયાવતીને ફરી એક વાર બીએસપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુકત

લખનઉ તા. ર૯ :.. માયાવતીને ફરી એક વખત બહુજન સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુકત કરવામાં આવ્યા છે. બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો. બીએસપીના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ સાંસદ સતીષચંદ્ર મિશ્રાએ અધ્યક્ષ તરીકે માયાવતીના નામની ઔપચારિક જાહેરાત કરી હતી.

અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ માયાવતીએ પક્ષના તમામ નેતાઓ  પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો.

(11:28 am IST)