Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

બદ્રીનાથ હાઇવે સતત છઠા દિવસે બંધ :દેવલીગઢ અને છીનકા પણ બંધ ;દર પાંચ કી,મી,એ જેસીબી તૈનાત

હાઇવે પર બે સ્થળોએ કાટમાળ આવ્યો :અંદાજે 244 તીર્થયાત્રીઓ હાઇવે ખુલવાની રાહમાં

બદ્રીનાથ હાઈવે સતત છઠ્ઠા દિવસે લામબગડ ખાતે અવરુદ્ધ છે. જેના કારણે બદ્રીનાથની યાત્રા માટે તીર્થયાત્રીઓ પગપાળા આવાગમન કરી રહ્યા છે. લગભગ 244 તીર્થયાત્રીઓ હાઈવેના ખુલવાની રાહ જોઈ રહ્યા છે. સવારે બદરીનાથ હાઈવે પર બે અન્ય સ્થાનો પર કાટમાળ આવવાને કારણે બંધ થયો છે.

 હાઈવે કર્ણપ્રયાગથી લગભગ પંદર કિલોમીટર દૂર દેવલીગઢ અને છિનકામાં પણ બંધ છે. બદરીનાથ હાઈવેના વારંવાર અવરુદ્ધ થવાને કારણે અહીં દર પાંચ કિલોમીટરે એક જેસીબી તેનાત રહેશે. જેથી હાઈવે વધુ સમયગાળા માટે બંધ રહે નહીં.

 લામબગડ અને ક્ષેત્રપાલ ભૂસ્ખલન ઝોનમાં હોવાથી અહીં વારંવાર હાઈવે બંધ થઈ જાય છે અને તેને કારણે ડીએમએ અધિકારીઓને આના સંદર્ભે નિર્દેશ આપ્યા છે.

 

(1:53 pm IST)